-->

Gyan Sadhana Scholarship 2024 | જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના 2024

Gyan Sadhana Scholarship 2024 | જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના 2024: ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો
JOIN US ON WHATSAPP Join Now

Gyan Sadhana Scholarship 2024 | જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના 2024: ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજયના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા 'માન.મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ” નીચેની વિગતે યોજવામાં આવશે.

કસોટીમાં બેસવા માટેની પાત્રતા :

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ

અથવા

b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧) (સી) ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫%ની મર્યાદામાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એકટી ૨૦૦૯ ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

પરીક્ષા ફીઃ-

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઇપણ ફ્રી રહેશે નહી.

કસોટીનું માળખુ:


આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) २हेशे.

આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.

જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.

.પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

અભ્યાસક્રમ:

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), वडि२१ (Classification), संभ्यात्मक श्रेएसी (Numerical Series), पेर्टन (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.

અભ્યાસક્રમ ધોરણ-૮ નો ઉપરોક્ત વિષયનો રહેશે.

પરીક્ષા કેન્દ્ર:

પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરીક્ષા કેન્દ્ર) પર વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરીટ લિસ્ટ

આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

• મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

ઉપર મુજબ ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.

રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત

જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.

સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક-૩ (તા.૨૦/૧૦/૨૦૨૩ના સુધારા ઠરાવ મુજબ) દર્શાવ્યા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી શકશે.

પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ-૯ માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે.

વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે.

પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીની રહેશે.

તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કે નિયામકશ્રી,શાળાઓની જવાબદારી રહેશે નહી. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ

આ પરીક્ષા માટે સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર અને RTE ACT ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓએ રાજય પરીક્ષા બોર્ડની http://www.sebexam.org વેબસાઈટ પર તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૨/૨૦૨૪ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.

અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે.

ઓનલાઈન અરજી કરવાની રીત

સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

1. सौ प्रथम https://schoolattendancegujarat.in

2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.

3. ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરવું.

અગત્યની સુચનાઓ-

1. સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે.

2. આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.

3. સ્કોલરશીપ પરીક્ષાના મેરીટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે.

4. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

5. સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/  બોર્ડની વેબસાઇટ http://www.sebexam.org પર આ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરવાના રહેશે.

6. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.

7. આ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય

8. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.

9. હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે.

10. વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.

11. હોલ ટિકિટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચોટાડવાનો રહેશે.

12. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ પરીક્ષા બાબતે વિદ્યાર્થીને લાલચ કે છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

13. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ શાળા દ્વારા હોલટિકિટ આપવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

14. સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ની જોગવાઇ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતા વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે.

15. ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈ પણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં.

16. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની મહત્વ ની તારીખો :

ફોર્મ ભરવાની શરુ તારીખ : 29/01/2024

ફોર્મ ભરવાની અંતિમ તારીખ :09/02/2024

ફોર્મ ભરવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો