-->

TAT Exam Pattern

JOIN US ON WHATSAPP Join Now

TAT Exam Pattern :રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં વિદ્યાર્થીઓને ૨૧મી સદીના કૌશલ્યો જેવાં કે કમ્યુનિકેશન, ક્રિટિકલ અને ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્ડિંગ વગેરે શીખવવાની ભલામણ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યો (Vocational Skills) શીખવવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. આ માટે વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યોથી રાજજ હોય તે આવશ્યક છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં એવા શિક્ષકોની જરૂર પડશે કે જેઓ સાક્ષરી વિષયો ઉપરાંત કેટલાક આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો (Inter-Disciplinary and Multi-Disciplinary Skill Set) ધરાવતા હોય એટલે કે વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું જ્ઞાન હોય, વાણિજ્યના સ્નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન હોય, વિનયનના સ્નાતક પાસે વાણિજ્યનું પણ જ્ઞાન હોય તેવા શિક્ષકોની જરૂરીયાત ઉપસ્થિત થશે. આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા કોમ્પ્યુટર, વ્યાવસાયિક શિક્ષણ, ચિત્ર, સંગીત, કલા, ખેલકુદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવવા સક્ષમ હશે. 

બદલાતા જતા શૈક્ષણિક વિશ્વમાં આગામી સમયમાં શિક્ષકોએ સતત નવું નવું શીખવાની અનિવાર્યતા ઊભી થયેલ છે. સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવવાના થતાં વિષયો અને વિષયવસ્તુમાં થનારા ફેરફારોને પહોંચી વળવા વિદ્યાર્થીઓ તથા શિક્ષણના હિતમાં ઉપરોક્ત કૌશલ્યો ધરાવતા શિક્ષોને ઓળખવાની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જરૂરી છે.

બદલાતા જતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં શિક્ષક પ્રતિભાશાળી હોય અને તેમની પાસે ત્રિભાષા સૂત્ર મુજબની ભાષાઓ પર પ્રભુત્વ હોય તે પણ જરૂરી છે. આવા વિશિર કૌશલ્ય ધરાવતા શિક્ષકોને ઓળખવા માટેની પ્રક્રિયા પણ વધુ સઘન હોય તે જરૂરી છે. સબબ ઉપર જણાવ્યા

મુજબના જ્ઞાન, આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો (Inter-Disciplinary and Multi-Disciplinary Skill Set) ધરાવતા ઉમેદવારોને ઓળખવા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ ઊભી કરવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું. જે પરત્વે વિભાગ દ્વારા તા.૧૯/૦૭/૨૦૧૯ના ઠરાવથી રાજયની સરકારી તથા બિન સરકા૨ી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી શિક્ષક અભિરૂચિ કસોટી-માધ્યમિક(TAT- માધ્યમિક), શિક્ષક અભિરૂચિ કસોટી-ઉચ્ચત૨ માધ્યમિક(TAT-ઉચ્ચતર માધ્યમિક)ના માળખામાં ફેચ્ચાર કરવા માટે મિતિની રચના કરવામાં આવેલ હતી. ઉક્ત સમિતિ દ્વારા તા.૦૩/૦૮/૨૦૧૯ અને તા.૦૩/૦૯/૨૦૧૯ના રોજ બેઠકનું આયોજન કરેલ હતું. આ બેઠકોમાં થયેલ વિચારણા અનુસા૨ સમિતિ દ્વારા તા.૩૦/૧૧/૨૯ના પત્રથી અહેવાલ રજૂ કરવામાં આવેલ હતો. આ બાબત સ૨કા૨શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.

ઠરાવ:

પુખ્ત વિચા૨ણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને મિશન કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ ખાવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી' (Teacher Aptitude Test– TAT) નું આયોજન ક૨વા આથી ઠરાવવામાં આવે છે. આ ‘શિક્ષક અભિરુચિ કસોટી' માટે નીચે મુજબની કાર્યપ્રણાલી અનુસરવાની રહેશે.

૧. શિક્ષક અભિચિ કસોટીઓ:

ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સ૨કા૨ી અને ખાનગી માધ્યમક શાળાઓમાં તથા સ૨કા૨ી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની શિક્ષક અભિરુચિ કસોટીઓ લેવામાં આવશે.

અ) શિક્ષક અભિÁચ કસોટી (માધ્યમિક)

બ) શિક્ષક અભિÁચ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)

શિક્ષક અભિચિ કસોટી (માધ્યમિક) અને શિક્ષક અભિÁચ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) માટેની લાયકાત ધરાવતા ઉમેદવા૨ ઇચ્છે તો ઉપરોક્ત બન્ને કોટીઓ આપી શકશે.

૨. આયોજન:

'શિક્ષક અભિરુચિ કસોટી'નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગ૨ દ્વારા કરવામાં આવશે. શિક્ષક અભિÁચ કસોટી માટેના નીતિનિયમો, સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેનું સાહિત્ય રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયા૨ ક૨શે. 'શિક્ષક અભિરુચિ કસોટીની પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ વખતોવખત નક્કી કરે તે પ્રમાણે રહેશે.

૩. કસોટીમાં બેસવા માટે અરજદારોની શૈક્ષણિક લાયકાત:

અ) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક):

નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવા૨ી ક૨વા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિÁચ કસોટી (માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

બ) શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક):

નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવા૨ી ક૨વા માટે રાજ્ય સ૨કા૨ દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવા૨ જ આ શિક્ષક અભિÁચ કસોટી (ઉચ્ચત૨ માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

૪. કસોટીના વિષયો:

અ) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક):

શિક્ષક અભિÁચ ક્સોટી (માધ્યમક) અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યકતા અનુસાર સરકારશ્રીની પૂર્વમંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે.

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિડ);

બ) શિક્ષક અભિર્ણય ક્સોટી (ઉચ્ચત૨ માધ્યમક) અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની બેગવાઈ અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કોટી યોજવામાં આવશે. કોટીના આયોજન સમયે આવશ્યક્તા અનુશાર સરકારશ્રીની પૂર્વ મંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે.

૫. કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ:

શિક્ષક અભિરુચિ ક્સોટી' પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

અ) પ્રાથમિક પરીક્ષા: આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે. બ) મુખ્ય પરીક્ષા: આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

કે. પ્રાથમિડ પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ:

પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય ાટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ધરજીયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ ૭.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે.

૭. મુખ્ય કસોટી (Mains Exam) નું સ્વરૂપ:

પ્રાથમિક કસોટીમાં Cut Off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.

પ્રશ્નપત્ર-૧: ભાષા ક્ષમતા

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧00 ગુણ

પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પતિશાસ્ત્ર (Pedagogy) – ૧૦૦ ગુણ (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

નોંધ: ઉમેદવારે જે માધ્યમની શિક્ષક ભÁચ કસોટી ઉતીર્ણ કરેલ હશે તે માધ્યમમાં શૈક્ષણિક કાર્ય થતું હોય તેવી શાળાઓમાં જ શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્ર ઠરશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.

૮. કસોટીનો અભ્યાસક્રમ:

પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અનુક્રમે પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ મુજબનો રહેશે.

૯. શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો:

અ) પ્રાથમિક પરીક્ષા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ Cut-Off થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે.

બ) મુખ્ય પરીક્ષા માટે Cut-Off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગ થી અરજી ક૨વાની ૨હેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર (Hall Ticket) ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે.

ક) મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાં ઓછા માં ઓછા ૬૦% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.

૧૦. શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની સમયમર્યાદા:

શિક્ષક અભિÁચ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક ભર્ણચ કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અર્વાધ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિÁચ કસોટીના મેરીટ લીસ્ટ જાહે૨ ક૨વામાં આવે ત્યાં સુધીની રહેશે.

૧૧. શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોગિતા બાબત:

અ) આ કસોટીઓ નોંધાયેલી ખાનગી માધ્યમક અને સરકારી માધ્યમિક શાળાઓમાં તથા રજિસ્ટર ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવા૨ી ક૨વા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે, આ કસોટી/ક્સોટીઓ પાસ ક૨વાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

બ) કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ-નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરીટ લીસ્ટનો ઉપયોગ કરી શકશે.

૧૨. હયાત શિક્ષક અભિરુચિ કસોટી બાબત:

આ ઠરાવ અમલમાં આવ્યેથી શિક્ષક અભિÁચ કસોટી અંગેના પ્રવર્તમાન ઠરાવો

આપોઆપ રદ થયેલ ગણાશે.

આ હુકમો વિભાગની સ૨ખા ક્રમાંકની ફાઈલ ૫૨ સ૨કા૨શ્રીની તા.૨૭/૦૪/૨૦૨૩ની નોંધથી મળેલ સંમત અન્વયે બહાર પાડવામાં આવે છે.

પરિશિષ્ટ-વ

પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) માધ્યમિક વિભાગ

આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે.

આ કસોટીમાં કુલ ૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્ન પત્રનો ચળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપથી (Multiple Choice Question) OMR આધારીત રહેશે.

• આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

* દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે,

• આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.૨૫ ગુણ (માઇના) નકારાત્મક મૂલ્યાંકન રો

વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાøત અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨) ગુણ)

બંધારણની મૂળભૂત 4 (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને સાળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો

ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી,

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ) (I) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો(ઔપચારીક, અનઔપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

(II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, ૨૨-મનોવલણ, અભિયોગ્યત્

(III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લેમ સહિત) અને આંક્ડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાક૨ણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિામ ચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધા૨ણા, શીર્ષક, સારાંશ.

(ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધો૨ણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ) I (અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

-સંબંધિત વિષયના ધો૨ણ-૯થી ૧૦ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યારાકમ. -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.

(બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પો (૧૫) (૧ ગુણ)

પરીક્ષાનું માધ્યમઃ

આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઇપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે.

ઉચ્ચતર માધ્યમિક વિભાગ

આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧00 પ્રશ્નો રહેશે.

આ કસોટીમાં કુલ ૨00 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહેશે.

આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

• દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ (માઇન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

બંધારણની મૂળભૂત ફ૨જો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને ક્લા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)

(I) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો(ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવા૨વાદ)

(II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, ૨સ-મનોવલણ, અભિયોગ્યતા.

(III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમ સહિત) અને આંક્ડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાક૨ણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ વિરામ ચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ.

(ઇ) અંગ્રેજી ભાષાની જાણકા૨ી (ધો૨ણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ) સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, ૨સ્પેલીંગ સુધારણા ક૨વી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧00 પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

-સંબંધિત વિષયના ધો૨ણ-૧૧ થી ૧૨ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ. -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે.

(બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

પરીક્ષાનું માધ્યમ

આ કસોટી ગુજ૨ાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રામિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે.

પરિશિષ્ટ-૨

મુખ્ય કસોટી (Mains Exam) વર્ણનાત્મક લેખિત સ્વરૂપ

માધ્યમિક વિભાગ

પ્રશ્નપત્ર-૧: ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ).

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરતી માધ્યમ માટે) ૧00 ગુણ

અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

૬) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ મુજબ) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ ૨હેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨00 ગુણની રહેશે.

આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ ૯ થી ૧૦નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.

• પ્રશ્નપત્ર-૧માં ૧00 ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.

• પ્રશ્નપત્ર-૨માં ૧00 ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.

સંપૂર્ણ વિગત માટે પરિપત્ર ડાઉનલોડ કરો